IPL 2025 માટે BCCI એ નવા નિયમો કર્યા જાહેર, ખેલાડીઓને નહીં મળે આ પરવાનગી

IPL 2025: આઈપીએલ 22 માર્ચથી શરૂ થવાની છે. પહેલી મેચ કોલકાતા અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાશે. આગામી સિઝનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વચ્ચે BCCI એ ખેલાડીઓ અને ટીમો માટે નવા નિયમોની જાહેરાત કરી છે. જેમાં એવા નિયમ બનાવવામાં આવ્યા છે કે પાછલી સિઝનની જેમ છૂટછાટ મળશે નહીં.

આ પણ વાંચો: મોહમ્મદ શમીએ પોતાની બીજી ઓવરમાં જ પોતાનો જલવો બતાવ્યો

નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા
એક રિપોટમાં આપેલી માહિતી પ્રમાણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ PMOA વિસ્તારની આસપાસ પરિવારના સભ્યોની હાજરી અંગેના નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે. બોર્ડે ખેલાડીઓ માટે ટીમ બસમાં મુસાફરી કરવાનું ફરજિયાત બનાવી દીધું છે. આ નિયમ બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયા માટે લાગુ કરી દીધો છે. , બધી ફ્રેન્ચાઇઝીઓને ઇમેઇલ દ્વારા આ વિશેની જાણકારી આપવામાં આવી છે. મેલમાં એવું પણ કહેવામાં આવ્યું કે ખેલાડીઓના પરિવારના લોકો અને મિત્રો અલગ વાહનોમાં મુસાફરી કરશે. હોસ્પિટાલિટી વિસ્તારમાંથી ટીમની પ્રેક્ટિસ જોઈ શકશે. ડ્રેસિંગ રૂમમાં પ્રવેશવા માટે BCCI ની પરવાનગી લેવી પડશે.