જૂનાગઢ: ગિરનાર પર્વત પર રોપ-વે સેવા બંધ, ભારે પવનના કારણે લેવાયો નિર્ણય

Junagadh: ગિરનાર પર્વત પરની રોપ-વે સર્વિસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ગિરનાર પર્વત પર રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે.રોપ-વે ઓથોરિટીએ આ નિર્ણય પ્રવાસીઓના હિતને ધ્યાનમાં રાખીને લીધો છે. 60 કીમીની ઝડપે પવન ફૂંકાતાં યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર ગિરનાર પર્વત પર ચાલુ રોપ-વે સર્વિસને બંધ કરવામાં આવી છે. સવારથી ભારે પવનના કારણે રોપ-વે સેવા પર અસર થઈ છે. યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પવનની ગતિ સ્થિર થતાં રોપ-વે ફરી રાબેતા મુજબ શરૂ કરનામાં આવશે.
આ પણ વાંચો: Champions Trophy 2025: જો ભારત-ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ ટાઈ થાય તો કોને ફાઇનલમાં સ્થાન મળશે?