શું ટીમ ઈન્ડિયાને દુબઈની પીચનો મળી રહ્યો છે લાભ, કેપ્ટન રોહિત શર્માએ આપ્યો જવાબ

Rohit Sharma PC: પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ઓયોજન કરી રહ્યું છે. ટીમ ઈન્ડિયાની તમામ મેચ દુબઈમાં રમાઈ રહી છે. સેમીફાઇનલ મેચ પણ ટીમ ઈન્ડિયાની દુબઈમાં રમાશે. આ વચ્ચે ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓને લાગી રહ્યું છે કે ટીમ ઈન્ડિયાને બધી મેચ એક જ જગ્યાએ રમી રહ્યું છે જેનો ટીમ ઈન્ડિયાને ફાયદાઓ થઈ રહ્યો છે. હવે કેપ્ટન રોહિત શર્માએ આવી વાતોનો યોગ્ય જવાબ આપ્યો છે.

આ પણ વાંચો: IPL 2025 પહેલા કોલકાતા નાઈટ રાઇડર્સેનું મોટું એલાન

રોહિત શર્માએ જણાવી આ વાત
રોહિત શર્માએ કહ્યું કે દુબઈમાં દર વખતે, એટલે કે દરેક મેચમાં, તેને અને તેની ટીમને વિવિધ પ્રકારના પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધીમાં આ મેદાનમાં 3 મેચ રમી છે. રોહિતે એમ પણ કહ્યું કે અમને નથી ખબર કે સેમિફાઇનલ મેચ કઈ પિચ પર રમાશે. ભારતીય ટીમે પહેલી બે મેચ જીતીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરી દીધું છે. . રોહિત શર્માએ કહ્યું કે દુબઈ તેનું હોમ ગ્રાઉન્ડ નથી અને પીચોએ તેની ટીમ માટે અલગ અલગ પડકારો ઉભા કર્યા છે