PM મોદીના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ, વહેલી સવારે વડાપ્રધાન સિંહ દર્શન માટે પહોંચ્યા

Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. PM મોદીએ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ હેલિકોપ્ટર દ્વારા સોમનાથ પહોંચ્યા હતાં. જ્યાં મંદિરમાં સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ સાસણગીર ખાતે આવેલા સિંહ સદનમાં રાત્રે રોકાયા હતા. ત્યારબાદ પીએમ મોદીનો આજે ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે. વહેલી સવારે વડાપ્રધાન સિંહ દર્શન માટે નીકળ્યા છે.
મળતી માહિતી અનુસાર સિંહ સદનથી જંગલ સફારી માટે પ્રધાનમંત્રીનો કાફલો રવાના થયો. અંદાજે બે કલાક થી વધુ સમય માટે પીએમ મોદી સિંહ દર્શન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વનમંત્રી અને વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ જંગલ સફારીની મુલાકાત લેશે.
સતત અપડેટ ચાલુ છે..