અમલસાડ ગામમાં આવેલી કન્યાશાળામાં વિદ્યાર્થિનીના ભોજનમાં ફરી ઇયળ નીકળતા વકર્યો વિવાદ

Navsari: નવસારી ગણદેવી તાલુકામાં આવેલા અમલસાડ ગામમાં એક ચોંકાવનનારી ઘટના સામે આવી છે. અમલસાડ સર્વિસ સ્ટેશન કન્યાશાળા નંબર 1માં ભોજનમાંથી ફરી ઇયળ નીકળતા વિવાદ થયો છે. ધોરણ 4ની વિદ્યાર્થિનીના ભોજનમાં ઇયળ દેખતા શિક્ષકો દોડતાં થયા હતા.

મળતી માહિતી અનુસાર કન્યાશાળા નંબર 1માં નાયક ફાઉન્ડેશન દ્વારા અપાતા ભોજનને લઈને અનેકવાર વિવાદ થયો છે. આ શાળામાં 228 વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. ધોરણ 4ની વિદ્યાર્થિનીના ભોજનમાંથી જીવાત દેખાતા શિક્ષકો દોડતા થયા હતા. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી અધ્યક્ષે મધ્યાહન ભોજન સ્વીકારવાની અસહમતિ દર્શાવી હતી. તેમજ શાળામાં મધ્યાહન ભોજન ન સ્વીકારવા માટે પણ રજૂઆત કરી છે. નાયક ફાઉન્ડેશન દ્વારા અપાતા મધ્યાહન ભોજનમાં અગાઉ પણ જીવાત નીકળવાની ઘટના સામે આવી હતી.

આ પણ વાંચો: મહાકુંભ પછી ચામડીના રોગના કેટલા કેસ આવ્યા? આરોગ્ય મંત્રી બ્રજેશ પાઠકે કર્યો ખુલાસો

આ ઘટનાને લઈને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે નાયક ફાઉન્ડેશન દ્વારા અપાતા મધ્યાહન ભોજન પર સવાલ ઉઠાવ્યા હતા. જોકે, હાલ ભોજનના સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલાયા છે. અવારનવાર બનતી આ પ્રકારની ઘટનાને લઇ કોઈ કાર્યવાહી થશે એ મોટો પ્રશ્ન છે.