જામનગરમાં કાશી વિશ્વનાથના 132 વર્ષ જૂના મંદિરમાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ

Shivratri 2025: દેવોના દેવ એટલે કે મહાદેવની ભક્તિ કરવાનો તહેવાર એટલે કે શિવરાત્રી. છોટા કાશી તરીકે જાણીતા જામનગરમાં શિવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ભક્તો મંદિરે મહાદેવના દર્શન કરવા તથા અભિષેક કરવા માટે ઉમટી પડ્યા હતા. જામનગર છોટા કાશી તરીકે પણ ઓળખાય છે, કારણ કે જામનગરમાં કાશી વિશ્વનાથનું 132 વર્ષ જૂની મંદિર આવેલું છે.
ચારેય દિશામાંથી મહાદેવના દર્શન
છોટા કાશી ગણાતા જામનગરમાં મહાદેવના અનેક મંદિરો આવેલા છે. આ મંદિરોમાં અનેક પૌરાણિક મંદિરોનો પણ સમાવેશ થાય છે. જામનગરને છોટા કાશી એટલા માટે કહેવામાં આવે છે કે મહાદેવનું એક મંદિર કાશીમાં આવેલું છે. જ્યારે તેના જેવું જ એક બીજું મંદિર જામનગરમાં આવેલું છે. શ્રાવણ માસ નિમિત્તે કાશી વિશ્વનાથ મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળે છે. આ મંદિર 130 વર્ષ જૂનું છે અને તેની ખાસિયત એ છે કે અહીં ભક્તો ચારેય દિશામાંથી મહાદેવના દર્શન કરી શકે છે.
છોટા કાશી તરીકે ઓળખવામાં આવે
જામનગરમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરે ચારેય મુખેથી દર્શન કરી શકાય એવું આ ભવ્ય મંદિર છે. આ મંદિરના મહત્વની વાત કરીએ તો મંદિરની રચના વિશિષ્ટ પ્રકારે કરવામાં આવી છે. 72 સ્તંભ ઉપર ઊભેલું આ મંદિર આબેહૂબ કાશી વિશ્વનાથના મંદિરની જેમ જ તૈયાર કરવામાં આવ્યું છે. તો મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કાશીથી લાવવામાં આવેલી અગ્નિ દ્વારા જ આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિર પરથી જ જામનગર ને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો: બેરણા કંટાળેશ્વર મહાદેવ મંદિરમાં 400 કિલો ઘી અને 125 કિલો કપાસની દિવેટથી મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી
સવારથી જ વિશેષ આરતી અને મહાપૂજા કરવામાં આવી
જામનગર એક ધાર્મિક શહેર હોવાથી અહીંની પ્રજા ધર્મપ્રિય છે. દરેક હિન્દુ તહેવારની જામનગરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. મહાદેવના તહેવારને લઈને પણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શિવરાત્ર નિમિતે વહેલી સવારથી જ ભક્તો ફુલ, બીલીપત્ર પ્રસાદ દૂધ જળ સહિતની વસ્તુઓનો જળાભિષેક કરવા માટે પધારી રહ્યા હતા. તો પૂજારીઓ દ્વારા ભગવાન ભોળાનાથની શિવલિંગ ઉપર વહેલી સવારથી જ વિશેષ આરતી અને મહાપૂજા કરવામાં આવી રહી છે. મંદિરનું પટાંગણ ભક્તોથી ઉભરાઈ ગયું હતું.