દેશના 9.8 કરોડ ખેડૂતો માટે ખુશખબર, આ તારીખે PM કિસાન યોજનાનો 19મો હપ્તો જમા થશે!

PM-KISAN Samman Nidhi: દેશના 9.8 કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ ખેડૂતોને 19મો હપ્તો આપશે. આ અંતર્ગત, લગભગ 22,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે, જે સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે. ન્યૂઝ એજન્સી અનુસાર, પીએમ-કિસાન યોજના હેઠળ, દરેક લાભાર્થી ખેડૂતને દર ચાર મહિને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ આપવામાં આવે છે.
The 19th installment of the #PMKisanSammanNidhi Yojana will be released by Prime Minister @narendramodi on 24th February 2025, from Bhagalpur, Bihar.#PMKisan #PMKisan19thInstallment #KisanSammanSamaroh pic.twitter.com/gR14zPmcuE
— Ministry of Information and Broadcasting (@MIB_India) February 21, 2025
ભાગલપુરથી ₹22,000 કરોડ રિલીઝ થશે
આ માહિતી આપતાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, પ્રધાનમંત્રી 24 ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરમાં એક કાર્યક્રમમાં પીએમ-કિસાનનો 19મો હપ્તો જાહેર કરશે. આ રકમ સીધી પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રી ચૌહાણે જણાવ્યું હતું કે 18મા હપ્તામાં લાભાર્થીઓની સંખ્યા 9.6 કરોડથી વધી થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2019 માં શરૂ કરાયેલ, PM-KISAN એ વિશ્વની સૌથી મોટી DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) યોજના છે.
એક વર્ષમાં કુલ ₹6000 આપવામાં આવે છે
ખેડૂત સમુદાયની આવક વધારવાના પ્રયાસ તરીકે સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, દરેક લાભાર્થીને દર ચાર મહિને 2,000 રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક 6,000 રૂપિયાનો લાભ મળે છે. સરકારે અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) હેઠળ કુલ 3.46 લાખ કરોડ રૂપિયાનું વિતરણ કર્યું છે અને 19મા હપ્તાના રજૂ થયા પછી, આ સંખ્યા વધીને 3.68 લાખ કરોડ રૂપિયા થઈ જશે.