પિતાએ કરી પુત્રની હત્યા, પિતાએ સોડિયમ નાઈટ્રાઈટ પાણીમાં પીવડાવી દીધું

Ahmedabad Crime: બાપુનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પિતાએ સોડિયમ નાઈટ્રાઈટ પાણીમાં પીવડાવીને પુત્રની હત્યા કરી નાંખી છે. પત્ની મહેસાણા જતા પિતાએ બાળકોની હત્યા કરી નાંખી હતી. ઓમ નામના 10 વર્ષના બાળકને 30 ગ્રામ સોડિયમ નાઈટ્રાઈટ પીવડાવી દીધું હતું. દીકરો મૃત્યુ પામતા પિતા ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: ગુલબાઈ ટેકરા પાસે ડીજે બંધ કરાવવા ગયેલ પોલીસ પર પથ્થરમારો કરનાર 6 લોકોની પોલીસે કરી ધરપકડ

બાળકની હત્યા કરવાનું વિચાર્યું
રાજ્યમાં અવારનવાર એવા કિસ્સા સામે આવી રહ્યા છે જેને સાંભળીને પહેલીવારમાં ચોંકી જવાઈ. કારણ કે કળયુગની માત્ર વાતો જ પહેલા સાંભળવા મળતી હતી. હવે તો એવા કિસ્સા બની રહ્યા છે. અમદાવાદના બાપુનગરમાં એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક પિતાએ પોતાના જ 10 વર્ષના બાળકને 30 ગ્રામ સોડિયમ નાઈટ્રાઈટ પીવડાવી દીધું હતું. પત્ની મહેસાણા જતા પિતાએ બાળકની હત્યા કરીને આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. દીકરો મૃત્યુ પામતા પિતા ફરાર થઈ ગયો હતો. બાપુનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે.