નીતિન પટેલનાં નિવેદન પર મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા, કહ્યું BJPએ તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ

Nitinbhai Patel: નીતિન પટેલનાં નિવેદન પર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી છે. ભાજપનો ખેસ નાખોને લૂંટના લાયસન્સ લઈ જાઓ તેવી ભાજપની નીતિ છે. ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર આવકનું પ્રમાણપત્ર અન્ય કોઈપણ ખેડૂતનો દાખલો હોય તમામમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવી ભારતીય જનતા પાર્ટીએ તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ કરી છે.
આ પણ વાંચો: ડાર્ક ચોકલેટ સ્વાદમાં બેસ્ટની સાથે આરોગ્યમાં ગ્રેટ, જાણી લો ફાયદાઓ
લૂંટના લાયસન્સ ચાલે છે
મનીષ દોશીએ કહ્યું કે માનનીય પૂર્વ નાયબ મુખ્યમંત્રી ચૂકેલા નીતિનભાઈ પટેલે જે વ્યથા અને ભાજપાની ભ્રષ્ટાચારની કથા જે લોકો સામે કહી તે સત્ય છે. ગામથી લઈને ગાંધીનગરને સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે. એટલે કે ભાજપનો ખેસ પહેરો નીચે લૂંટફાસ્ટ ચલાવો અને એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો. કાંડ અને કૌભાંડના કારણે કરોડો રૂપિયા કમલમમાં જમા થાય છે. આ લૂંટના કોથળા ભરીને આવેલ રૂપિયા થી બીજેપી પોતાના તમામ મનસુખબા સત્તા મેળવવા અને ટકાવવા અને સત્તામાં કોઈને પાડી દેવા માટે ઉપયોગ કરે છે. આનંદીબેન પટેલ પણ જામનગરમાં બોલી ચુક્યા છે કે કાર્યકરો કોન્ટ્રાક્ટર બની ગયા છે.