October 10, 2024

રતન ટાટાને ભારત રત્ન મળવો જોઈએ… મહારાષ્ટ્રની શિંદે કેબિનેટે પ્રસ્તાવ પસાર કર્યો

Maharashtra: મહારાષ્ટ્ર કેબિનેટે આજે રતન ટાટાને ભારત રત્ન આપવા અંગેનો ઠરાવ પસાર કર્યો છે. રતન ટાટાને પ્રથમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પછી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. મહારાષ્ટ્ર સરકાર હવે આ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલશે.

આ પહેલા શિંદે જૂથના નેતા રાહુલ કનાલે આ માંગ કરી હતી. રાહુલ કનાલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે માંગ કરી હતી કે મહારાષ્ટ્ર સરકારે ભારત રત્ન માટે રતન ટાટાના નામનો પ્રસ્તાવ મૂકવો જોઈએ. આ જ તેમને સાચી શ્રદ્ધાંજલિ હશે.

મહારાષ્ટ્રમાં એક દિવસનો રાજકીય શોક
મહારાષ્ટ્ર સરકારે રતન ટાટાને શ્રદ્ધાંજલિ આપવા માટે ગુરુવારે રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરકારી કાર્યાલયોમાં રાષ્ટ્રધ્વજ 10 ઓક્ટોબરે શોકના પ્રતીક તરીકે અડધી કાઠીએ ધ્વજ ફરકાવાશે.

રતન ટાટાના અંતિમ દર્શન માટે ભીડ ઉમટી હતી
રતન ટાટાના પાર્થિવ દેહને મુંબઈના નરીમાન પોઈન્ટમાં નેશનલ સેન્ટર ફોર પરફોર્મિંગ આર્ટમાં રાખવામાં આવ્યો છે. તેમના અંતિમ દર્શન માટે ભારે ભીડ જામી છે. મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. તેમના નિધન પર દેશ અને દુનિયાના અનેક દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો છે. તેમને શ્રદ્ધાંજલિ આપી છે. સાંજે 4 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

આ પણ વાંચો: ‘ગુડ બાય મારા લાઈટ હાઉસ…’, રતન ટાટાની નજીકના ગણાતા શાંતનું નાયડુએ કરી ભાવુક પોસ્ટ

86 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું
તમને જણાવી દઈએ કે રતન ટાટાનું બુધવારે રાત્રે નિધન થયું હતું. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમના અંતિમ સંસ્કાર વરલીના પારસી સ્મશાન ભૂમિમાં કરવામાં આવશે. તેમને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે.