રાજકોટ જિલ્લામાંથી 3 પાકિસ્તાની નાગરિક ઝડપાયા, ગ્રામ્ય LCB ટીમ દ્વારા પૂછપરછ શરૂ

Rajkot: પહલગામ હુમલા બાદ કેન્દ્ર સરકાર દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે પાકિસ્તાનીઓને ભારત છોડવા 48 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. પરંતુ હવે રાજકોટ જિલ્લામાંથી 3 પાકિસ્તાની નાગરિક ઝડપાયા છે. જે બાદ ગ્રામ્ય LCB ટીમ દ્વારા તમામ 3 પાકિસ્તાનીઓને લાવી પુછપરછ શરૂ કરાઈ છે.

મળતી માહિતી અનુસાર લોધીકા તાલુકામાં 3 પાકિસ્તાનીઓ રહેતા હોવાની પોલીસને માહિતી મળી હતી. જે બાદ ગ્રામ્ય LCB ટીમ દ્વારા તમામ 3 પાકિસ્તાનીઓને લાવી પુછપરછ શરૂ કરાઈ હતી. જોકે, પોલીસ દ્વારા પુછપરછ અને તપાસ બાદ સતાવાર સંપૂર્ણ માહિતી જાહેર કરાશે. જેમા એક સગીર સહિત 3 પાકિસ્તાની ઝડપાયા છે જેમની પુછપરછ શરૂ કરાઈ છે. નોંધનીય છે કે, વર્ષો પહેલા પાકિસ્તાનથી રાજકોટ આવ્યા બાદ પરત ન ફર્યા હોવાનું સામે આવ્યું છે. 1999 માં રાજકોટ વિઝા લઈને આવ્યા હતા. જોકે, વિઝા પૂર્ણ થયા બાદ પાકિસ્તાન પરત નહોતા ફર્યા

આ પણ વાંચો: પાકિસ્તાન સતત કરી રહ્યું છે ઉશ્કેરણીજનક કાર્યવાહી, ભારત સાથે તણાવ વચ્ચે અબ્દાલી મિસાઈલનું પરીક્ષણ