‘આ મારા સિંદૂરનો હિસાબ છે’, આ સીલસીલો અહીં અટકવો ન જોઈએ’: હિમાંશી નરવાલ

Operation Sindoor: પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા વિનય નરવાલની પત્ની હિમાંશી નરવાલે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર થયેલા હુમલા અંગે નિવેદન આપ્યું છે. હિમાંશીએ કહ્યું કે આ સીલસીલો અટકવો જોઈએ નહીં… બધા આતંકવાદીઓને એક પછી એક ખતમ કરી દેવા જોઈએ. હિમાંશીએ આગળ કહ્યું કે હું ઓપરેશન સિંદૂરના આ નામને મારી જાત સાથે જોડું છું. 26 લોકોની ક્રૂર હત્યાનો મોદીજીએ યોગ્ય જવાબ આપ્યો છે.
હિમાંશીએ PM મોદીને કહ્યું- આભાર
બધા આતંકવાદીઓ તેમજ આતંકવાદનો સંપૂર્ણપણે નાશ કરવો જ જોઇએ. આ કાર્યવાહી અહીં અટકવી ન જોઈએ. બધા આતંકવાદીઓને ખતમ કરવા જ જોઈએ, મેં મારા પતિને ગુમાવ્યા છે. હું મારી જાતને ઓપરેશન સિંદૂર સાથે જોડું છું. 26 લોકોની ક્રૂર હત્યાનો જવાબ મોદીજીએ આપ્યો છે અને હું આ માટે PM મોદીનો આભાર માનું છું.