September 17, 2024

‘વિનેશ-પુનિયા મુદ્દે ચૂપ રહો…’, BJP હાઈકમાન્ડે બ્રિજ ભૂષણને આપી સૂચના

Brij Bhushan Sharan Singh: રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા પછી, ભૂતપૂર્વ રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા (WFI)ના વડા બ્રિજભૂષણ શરણ સિંહે તેમને નિશાન બનાવ્યા. ન્યૂઝ અહેવાલ મુજબ, બીજેપી હાઈકમાન્ડે પાર્ટીના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ સિંહને સલાહ આપી છે કે તેઓ વિનેશ અને પૂનિયા વિરુદ્ધ નિવેદન આપવાનું ટાળે.

કોંગ્રેસ પર બ્રિજભૂષણ સિંહનું નિશાન
બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું હતું કે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ કુસ્તીમાં નામ કમાવ્યું અને આ રમતની તાકાતથી તેઓ આખી દુનિયામાં પ્રખ્યાત થયા, પરંતુ કોંગ્રેસમાં જોડાયા બાદ તેમનું નામોનિશાન મિટાઇ જશે. વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા એ કુસ્તીબાજોમાં સામેલ હતા જેમણે ગયા વર્ષે બ્રિજ ભૂષણ સિંહ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું, આ સિવાય બ્રિજભૂષણ પર ઘણા જુનિયર કુસ્તીબાજોને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો.

બ્રિજભૂષણ સિંહે વધુમાં કહ્યું હતું કે જો વિનેશ અને બજરંગ એવું વિચારી રહ્યા છે કે તેઓ વિધાનસભા ચૂંટણી જીતશે તો તેઓ ખોટા છે. તેમણે કહ્યું હતું કે ભાજપના નાના ઉમેદવાર પણ તેમને હરાવી દેશે. કોંગ્રેસે જુલાના વિધાનસભા બેઠક પરથી વિનેશ ફોગટને મેદાનમાં ઉતાર્યા છે. બજરંગ પુનિયાને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ હરિયાણાની ચૂંટણીમાં પ્રચાર કરશે.

વિનેશ ફોગાટે ભાજપ પર નિશાન સાધ્યું
કોંગ્રેસમાં જોડાયા બાદ વિનેશ ફોગાટે કહ્યું હતું કે તે ન તો ડરશે અને ન તો પીછેહઠ કરશે. તેમણે કહ્યું હતું કે સમગ્ર ભાજપ બ્રિજભૂષણ સિંહનું સમર્થન કરી રહ્યું છે, જ્યારે કોંગ્રેસે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને જ્યારે દિલ્હીની સડકો પર ખેંચવામાં આવી રહ્યા હતા ત્યારે તેમનું સમર્થન કર્યું હતું.

કુસ્તીબાજ વિનેશ ફોગાટે કહ્યું હતું કે, “હું જંતર-મંતર પર કુસ્તી છોડી શકી હોત, કારણ કે બીજેપીનો આઈટી સેલ એવો પ્રચાર કર્યો હતો કે અમે ફૂટેલી કારતૂસ છીએ. તેણીએ કહ્યું કે હું નેશનલ્સમાં રમવા માંગતી ન હતી, પરંતુ હું રમી હતી. તેઓએ કહ્યું કે હું ટ્રાયલ્સમાં ભાગ લેવા માંગતી ન હતી, પણ મેં કર્યું…તેઓએ કહ્યું કે હું ઓલિમ્પિકમાં નહીં જઈ શકું, પણ હું ગઇ…પરંતુ કમનસીબે ભગવાનની બીજી યોજના હતી.”