September 2, 2024

Neem Leaves: લીમડાના પાણીથી સ્નાન કરવાના ફાયદાઓ

Neem Water Bath: ચોમાસામાં ત્વચા સંબંધિત સમસ્યાઓ વધારે ફેલાય છે. જેમાં ખંજવાળ, બળતરા, ફોલ્લીઓ, દાદ, ખંજવાળ જેવી સમસ્યાઓ લોકોને પરેશાન કરી નાંખે છે. આ સમસ્યાથી બચવા માટે તમારે લીમડાનું પાણીથી સ્નાન કરવું જોઈએ. લીમડાનું પાણીથી સ્થાન કરવાના ખુબ ફાયદાઓ છે. કારણ કે લીમડાની અંદર ફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણો છે જે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ત્વચાની સાથેની આંખો અને વાળની ​​પણ ઘણી સમસ્યાઓ દૂર લીમડાના પાન કરી શકે છે. જાણો લીમડાના પાણીથી સ્નાન કરવાથી શું ફાયદા થાય છે?

પરસેવાની દુર્ગંધ દૂર
લીમડાના પાણીથી સ્નાન કરવાથી પરસેવામાંથી આવતી દુર્ગંધ દૂર કરી શકાય છે. લીમડાનું પાણીથી સ્નાન કરવાથી પરસેવામાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે.

ડેન્ડ્રફ ઘટશે
લીમડાના પાણીથી તમે વાળ ધોવો છો તો તમને ડેન્ડ્રફ ઘટી જશે. જે લોકોને ડેન્ડ્રફની સમસ્યા હોય તેમને લીમડાના પાણીથી વાળ ધોવાથી ફાયદો ચોક્કસ થશે. આ સાથે લીમડો નિસ્તેજ વાળમાં ચમક લાવવામાં પણ મદદ કરશે.

પિમ્પલ્સ દૂર થશે
લીમડો પિમ્પલ્સની સમસ્યાને દૂર કરવામાં કારગર માનવામાં આવે છે. લીમડાના પાણીથી તમે સ્નાન કરો છો તો તમે પિમ્પલ્સ અને ખીલથી છુટકારો મેળવી શકો છો. આ પાણીથી તમે ફેસને ધોવો છો તો તમારા ચહેરા પરથી ડાઘ-ધબ્બા પણ દૂર થઈ જશે. આ સાથે આ પાણી ચહેરાને ચમકદાર બનાવે છે. જેના કારણે આ સિઝનમાં લીમડાના પાણીથી સ્નાન કરવાનું ચોક્કસ રાખે. જેનાથી તમારા શરીરને ખુબ ફાયદો થશે.

આ પણ વાંચો: Alwarની આ વાનગીઓને ચોક્કસ ખાજો, પેટ ભરાશે મન નહીં!

પિમ્પલ્સ દૂર
વરસાદની મોસમમાં, ફોલ્લીઓ અને ખીલ મોટા ભાગના લોકોને થતા હોય છે. બાળકોને પણ આ સમસ્યા થતી હોય છે. જેને ધ્યાનમાં રાખીને તમારે બાળકને પાણીમાં લીમડાના પાન નાખીને નવડાવવું જોઈએ. લીમડામાં કુદરતી એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણો હોય છે જે ફોલ્લાઓને મટાડે છે.