August 18, 2024

આ આદતોથી રહો દૂર, નહીંતર થશે અસાધ્ય રોગ

Habits: ઘણી વખત આપણે એવી આદતોને પાળીને રાખવી છીએ કે આગળ જઈને આપણને નુકસાન પહોંચાડી શકે છે. તમારે તમારી આવી આદતો પર ધ્યાન ચોક્કસ રાખવું જોઈએ. પરંતુ ઘણી વખત એવી આદતોની તે સમયે આપણને ભાન હોતી નથી. તો અમે તમારા માટે એવી માહિતી લઈને આવ્યા છીએ કે તમારામાં જો એવી આદત હોય તો સાવચેત થઈ જાજો.

ખાધા પછી ચાલવું નહીં
મોટા ભાગના લોકો જમીને તરત ચાલવા લાગે છે. તો તમને જણાવી દઈએ કે જમીને તરત ચાલવાથી તમારી હેલ્થને નુકસાન થઈ શકે છે. જમીને પલંગ પર સૂતી વખતે ફોનનો ઉપયોગ કરવાની આદતને કારણે તમને ડાયાબિટીસ થઈ શકે છે. ખોરાક ખાધા પછી પછી તમારે તરત સૂવું જોઈએ નહીં. જો તમે તમારી હેલ્થનું ધ્યાન રાખવા માંગો છો તો તમારે ખાધા પછીના 45 મિનિટ પછી તમારે લગભગ 20-30 મિનિટ ચાલવું જોઈએ.

આ પણ વાંચો: Alwarની આ વાનગીઓને ચોક્કસ ખાજો, પેટ ભરાશે મન નહીં!

મોંઘુ સાબિત થઈ શકે છે
જો તમે યોગ અને વ્યાયામ ન કરો અથવા તમારી દિનચર્યામાં કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિનો સમાવેશ નથી કરતા તો તમને ડાયાબિટીસનું જોખમ વધી શકે છે. કસરતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવી દો. જો તમારી પાસે જિમ થવાનો સમય ના હોય તો તમારા રોજિંદા ટાઈમ ટેબલમાં એવું કાર્ય કરો કે જેનાથી તમારા શરીરને કસરત કર્યા જેવું થઈ જાય.

મોડી રાત્રે જમવાની આદત
જો તમે પણ મોડી રાત્રે જમવાની આદત છે તો તમારી આ આદતને તમારે દુર કરી દેવી જોઈએ. કારણ કે તમે મોડી રાતે જમવાની આદત રાખો છો તો તમે ડાયાબિટીસ જેવી બીમારીનો શિકાર બની શકો છો. એક માહિતી પ્રમાણે તમારે 7 વાગ્યા સુધીમાં ડિનર ખાઈ લેવું જોઈએ. રાતે જમીને તરત જ સૂવાની આદત રાખવી જોઈએ નહીં. જેના કારણે તમને સમસ્યા થઈ શકે છે.