October 27, 2024

ઈન્ડિગોની પુણે-જોધપુર ફ્લાઈટને ફરી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી

Delhi: બોમ્બ ફ્લાઈટની ધમકીઓનો મામલો અટકતો જણાતો નથી. રવિવારે પૂણેથી જોધપુર જઈ રહેલી ઈન્ડિગોની બીજી ફ્લાઈટને પણ આવી જ ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળ્યા બાદ જોધપુરમાં લેન્ડ થયા બાદ ફ્લાઈટની સર્ચ કરવામાં આવી હતી. રવિવારે ઈન્ડિગો તેમજ બેંગલુરુથી અયોધ્યા જતી આકાસાની ફ્લાઈટને પણ આવી જ ધમકી મળી હતી. કોલકાતાથી પુણે જતી ઈન્ડિગોની ફ્લાઈટને પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે. બોમ્બની ધમકી મળ્યા બાદ કોલકાતાથી પુણે જતી અકાસા અને ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 300થી વધુ ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી છે પરંતુ રાહતની વાત એ છે કે કોઈ પણ ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. આ ઉપરાંત આ ફ્લાઈટ્સમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.

જોકે, આ ધમકીઓને કારણે એરલાઇન કંપનીઓને ભારે નુકસાન થયું છે. ઉપરાંત મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેન્દ્ર સરકાર પણ વિમાનોને રોજેરોજના ખતરાઓને લઈને ગંભીર છે અને તેણે તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો: આખરે જગદગુરુ રામભદ્રાચાર્ય બાળ સંત અભિનવ અરોરા પર કેમ ગુસ્સે છે? જાણો આખી ઘટના

નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, વિમાનોને બોમ્બથી ઉડાવી દેવાની સતત ધમકીઓને કારણે અત્યાર સુધીમાં 500 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. એરલાઇન્સ કંપનીઓ તેમની ફ્લાઇટ્સ તેમના નિર્ધારિત એરપોર્ટને બદલે નજીકના એરપોર્ટ પર લેન્ડ કરે છે, જેના કારણે ઇંધણનો વપરાશ વધુ થાય છે.