દિલ્હીના નવા મુખ્યમંત્રી 20 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે લેશે શપથ

Delhi New Cm Oath Ceremony: દિલ્હીના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે રામલીલા મેદાનમાં યોજાશે. આ શપથ ગ્રહણ સમારોહને ભવ્ય બનાવવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. 27 વર્ષ પછી સત્તામાં પરત ફરેલી ભાજપ શપથ ગ્રહણ સમારોહ દ્વારા દિલ્હીના લોકોને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે કે તે હંમેશા તેમની સાથે છે અને રહેશે. આ કાર્યક્રમ માટે ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આતિશીને પણ આમંત્રણ પત્રો મોકલવામાં આવશે. આ ઉપરાંત NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રિત કરવામાં આવશે.
#WATCH | | Delhi: Preparations underway at Ramlila Maidan ahead of the oath ceremony of the new CM of Delhi
BJP Legislature Party meeting will be held on 19th February. The swearing-in ceremony of the Chief Minister will be held on 20th February pic.twitter.com/SaEHfK6Wc2
— ANI (@ANI) February 18, 2025
દિલ્હીના લોકો સમારોહના સાક્ષી બનશે
જે રાજ્યોમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે અને શપથ ગ્રહણના દિવસે બજેટ રજૂ થવાનું છે, તે રાજ્યોના મુખ્યમંત્રીઓ દિલ્હીના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી શકશે નહીં, પરંતુ અન્ય તમામ NDA મુખ્યમંત્રીઓ હાજરી આપે તેવી સંભાવના છે. આ સમારોહમાં 30 હજારથી વધુ લોકો હાડરી આપશે અને ખાસ કરીને દિલ્હીના લોકો આ સમારોહના સાક્ષી બનશે, કાર્યક્રમમાં ઝૂંપડપટ્ટીવાસીઓની સાથે મહિલાઓને પણ સામેલ કરવાને મહત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, ઘણા VVIPને પણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રીનું નામ હજુ સુધી જાહેર થયું નથી
નોંધનીય છે કે, દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ ભાજપે હજુ સુધી મુખ્યમંત્રીના નામ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ આ પહેલા પણ શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સમગ્ર રામલીલા મેદાનમાં રેડ કાર્પેટ બિછાવવામાં આવશે. આ સંદર્ભમાં ભાજપના મહાસચિવ વિનોદ તાવડે, તરુણ ચુઘ અને પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવા વચ્ચે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમણે તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે રામલીલા મેદાનની પણ મુલાકાત પણ લીધી.