VIDEO: આલમારી પાછળ આતંકવાદીઓનું ગુપ્ત ઠેકાણું, નાના બંકરમાં આતંકીઓ છુપાયા

Jammu Kashmir Kulgam Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બે સ્થળોએ અથડામણમાં સુરક્ષા દળોએ છ આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓના છુપાયેલા સ્થળને લગતો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે આતંકીઓએ એક મકાનમાં એક કબાટની અંદર ગુપ્ત ઠેકાણું બનાવ્યું હતું. આ ઠેકાણું બહારથી એવી રીતે છુપાયેલું હતું કે અહીં બંકર છે કે નહીં તે જાણી શકાયું નથી. સૂત્રોનું માનીએ તો પોલીસ અને સુરક્ષા દળોની તપાસ બાદ આ આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ થયો છે. જો કે આ વીડિયોને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
Indian Army has discovered a new hideout of terrorists in Kulgam, Kashmir, where they used to hide.
See how a bunker has been built behind the cupboard in the house.#IndianArmy #KulgamEncounter#Kashmir #JammuKashmir #Kulgam pic.twitter.com/TUsWpQU4Qa
— विवेक सिंह नेताजी (@INCVivekSingh) July 7, 2024
શનિવારે કુલગામમાં બે સ્થળોએ એન્કાઉન્ટર થયું, જે રવિવારે બીજા દિવસે પણ ચાલુ રહ્યું. સુરક્ષા દળોએ જિલ્લાના ચિન્નીગામ ફ્રિસાલમાં ચાર અને મુદ્રાગામમાં બે આતંકવાદીઓને સફાયો કર્યા. જો કે આ ઓપરેશન દરમિયાન બે જવાનોનું પણ બલિદાન આપવામાં આવ્યું હતું. આતંકીઓ પાસેથી ત્રણ એકે-47 રાઈફલ, એક પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો છે.
માર્યા ગયેલા આતંકવાદીઓ હિઝબુલ મુજાહિદ્દીન અને લશ્કર-એ-તૈયબાના સહયોગી ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) સાથે સંકળાયેલા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કૈમોહના રહેવાસી યાવર બશીર, યારીપોરાના રહેવાસી ઝાહિદ અહેમદ ડાર, રાથેર નિવાસી તૌહીદ અહેમદ, કુલગામના રહેવાસી શકીલ અહેમદ વાની તરીકે થઈ છે. અન્ય બે આતંકવાદીઓની પણ ઓળખ કરવામાં આવી રહી છે.
ડીજીપી આરઆર સ્વૈને કહ્યું કે એક જગ્યાએ એન્કાઉન્ટર પૂરું થઈ ગયું છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. એન્કાઉન્ટર સ્થળ પરથી ચાર આતંકીઓના મૃતદેહ મળી આવ્યા છે. પેરા કમાન્ડો લાન્સ નાઈક પ્રદીપ નૈન અને રાષ્ટ્રીય રાઈફલ્સના કોન્સ્ટેબલ પ્રવીણ પ્રભાકર મુદ્રાગામમાં એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા.